Saturday 26 January 2013





હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી
મેરીટ હોવા છતાં વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હ
તા


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કે કરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત પ્રશ્ને ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ અઠવાડિયામાં નીમણુંક આપવાની કાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આ અંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ વિકલાંગોમાં ખુશીનું મોજુ
ફેલાયું હતું.