Tuesday 3 September 2013

good news for farmers...//

 ભરતી અંતર્ગત  ૧૧/૦૨/૨૦૧૧ નું જાહેરનામુ 

 ઘણા મિત્રો પૂછે છે કે જૂના શિક્ષકની વ્યાખ્યા કેવી છે  ?


 મિત્રો મારા અંગત મંતવ્ય મુજબ શિક્ષણ સહાયકના ૫ વર્ષ હંગામી
ગણાય છે ત્યારબાદ નિયમિત શિક્ષકના ૫ વર્ષ એમ કુલ ૧૦ વર્ષની
સર્વિસ હોય તો તે જૂના શિક્ષકની વ્યાખ્યામાં આવે.
આ મારુ અંગત મંતવ્ય છે.કદાચ અન્ય લોકો સંમત ન પણ હોય.  ૧૧/૦૨/૨૦૧૧ ના જાહેરનામાનો અભ્યાસ બરાબર કરવો.  જે અહિ ઉપર એટેચ કરેલ છે. 

આ ભરતીમાં  - 1.  જૂના શિક્ષકના અનુભવ અંગે ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.

2. વય મર્યાદા અંગે લોકોમાં ગેરસમજ છે જેની ચોક્કસ સ્પષ્ટતાની જરૂર છે.  

 3.  વિધવા - ત્યક્તા બહેનો માટે કોઈ અનામતની જોગવાઈ છે કે કેમ તે વિશે લોકો જાણવા માગે છે. 

4. ટાટ પરીક્ષામાં જાહેરનામા અંતર્ગત ૫૦ % ગુણ હોવા જોઈએ. કમ્પ્યૂટર કદાચ બંને 
બંને પેપરોમાં અલગ અલગ ૫૦ % ગુણ એટલેકે ૧૫૦ માંથી ફરજિયાત ૭૫ કે તે  ઉપર અને ૧૦૦ માંથી ફરજિયાત ૫૦ કે તે ઉપર ગણવાનું નથીને ?  એની ઘણા મિત્રો ચિંતા કરે છે. 

ઘણા મિત્રોએ  હેમખેમ કમ્પ્યૂટરમાં  ફોર્મ ભરાઈ જાય અને ભરતી દરમ્યાન કોઈ કોર્ટ કેસ ન થાય અને ઝડપી નોકરી મળે તેની પણ માતાજીને બાધા માની છે. 
ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?  ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં  FA/SA  માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે.


બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.