Friday 3 January 2014

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતીના નિયમોમાં ભારે વિંસગતતા છે. બીજી તરફ શિક્ષકોની ખાલી પડેલી તમામ જગ્યાઓ માટે એક સાથે ભરતી કરવામાં આવતી નથી જેને લઈને કેટલાક વિષયોના ટેટ પાસ ઉમેદવારને અન્યાય થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં સામાજિક વિજ્ઞાન વિષયના ૪૭૦૦ શિક્ષકોની હજુ ઘટ છે. આ વિષયમાં તાકીદે ભરતી કરવાની માગ સાથે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો તા.૭મીએ ગાંધીનગરમાં રેલી યોજવાનું નક્કી કર્યું છે.

સામાજિક વિજ્ઞાનના ટેટ પાસ ઉમેદવારોની ૭મીએ રેલી
.

રજૂઆતો કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી નહી.
 

રાજ્યભરમાંથી સામાજિક વિજ્ઞાન વિષયના ટેટ પાસ ઉમેદવારોની સંખ્યા ૧૫,૦૦૦થી વધુ છે. આ ઉમેદવારો ભરતી થાય તેનો ઈન્તજાર કરી રહ્યો છે. જોકે,રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આ અંગે ચોક્કસ આયોજન કરાતું ન હોવાથી ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. સામાજિક વિજ્ઞાન વિષયના બેરોજગાર ઉમેદવારની રવિવારે એકમહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં તમામે એક સૂર સાથે ગાંધીનગરમાં રેલી કાઢવાનો નિર્ણય કર્યો હતો અને રેલી બાદ જરૂર પડે તો ઉપવાસ પર બેસવા અંગેની મંજૂરી મેળવવાની કવાયત પણ હાધ ધરાઈ છે. આ મિટિંગના મુખ્ય આયોજકના કહેવા અનુસાર રાજ્યમાં સામાજિક વિજ્ઞાન વિષયના ૪૭૦૦ શિક્ષકોની ઘટ છે જેઅમને આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે. સરકાર એક તરફ બેકારી ઓછી કરવાની વાત કરે છે અને બીજી બાજુ શાળાઓમાં જગ્યાઓ ખાલી હોવા છતાં પણ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી કરાતી નથી જેના કારણે અમારા જેવા અસંખ્ય યુવાનો રોજગારીથી વંચિતરહી ગયા છે. અમે શિક્ષણમંત્રી સમક્ષ વારંવાર રજૂઆત કરી છતાં તેઓ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથધરાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શાળાઓમાં ભાષા,ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણેય વિષયના શિક્ષકો દરેક શાળામાં હોવા ફરજિયાત છે ત્યારે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતીકેમ કરાતી નથી તેના લઈને અનેક સવાલો પેદા થઈ રહ્યા છે.

ભાષાના ૨૦ હજાર શિક્ષકો નિમણૂક


રાજ્યમાં છેલ્લા વર્ષોમાં પ્રાથમિક શાળાઓમાં ભાષાના ૨૦,૦૦૦ જ્યારે ગણિત-વિજ્ઞાન વિષયના ૧૩,૮૦૦થી વધુ શિક્ષકોની ભરતી થઈ છે જ્યારે સામાજિક વિજ્ઞાન વિષયના ફક્ત ૩૫૦૦ શિક્ષકોની જ ભરતી થઈ છે જેના પગલે હજુ આ

No comments: